બદલી ભરતો રખેવાળ !

Keywords: Chandrakant Thakkar|Natak Budreti|

બદલી ભરતો રખેવાળ !

Article

ચંદ્રકાન્ત ઠક્કર • નાટક બુડ્રેટી • 2005

TMC: (સળંગ અંક -33)

Abstract

આ નાટકમાં પિતા અનુપમ અને પુત્ર તુષાર પાંચ વર્ષથી એકલા રહેતા હોય છે તુષાર મોટો થઈને તેના પિતાને મમ્મી બીનાબહેન ઘર છોડીને કેમ જતા રહ્યાં છે ? એવો પ્રશ્ન વારંવાર પૂછતો હોવાથી એકવાર અનૂપમ તુષારને સાચી ઘટના જણાવે છે તે કહે છે કે પોતે (અનુપમ) અને મારો મિત્ર મહેશ અમે સાથે મળીને એક રૂમમાં રહેતા અને ભણતા હતા તે દરમ્યાન મારા લગ્ન લીના નામની યુવતી સાથે થયા છે તેથી મહેશ બીજે રહેવા ચાલ્યો જાય છે. તેમ છતાંઅમારી મૈત્રી અકબંધ હતી વર્ષો વીત્યા છતાં પણ મહેશ લગ્ન કરતો નથી. લીના ઓફિસેથી ઘરે આવતા મહેશના ઘરે રસોઈ બનાવવા જતી હોય છે. તેની જાણ અનુપમને હોતા નથી. બીનાને ઘરે આવતા એક-બે વાર મોડુ થાય છે. તેથી અનુપમ ગુસ્સે થઈને લીનાને મહેશ સાથેના સંબધ વિશે ગમે તેમ બોલે છે. તેથી લાનાને માઠું લાગતા લીના ઘર છોડીને અમેરિકા ચાલી જાય છે. એ વાતને આજે પચ્ચીસ વર્ષ વીતી ગયા છે. પરંતુ તેનો હજુ સુધી કોઈ જવાબ આવ્યો નથી તેવું તુષાર તેના પિતા અનુપમને જણાવતો હોય છે ત્યાં જ બારણાની ઘંટડી વાગે છે બારણું ખોલતાજ લીનાને જોતા તુષાર અને અનુપમ ખુશ થઈ જાય છે. લીના સાચી હકીકત જાણ કરવા આવી છે તેવું જણાવે છે અહીં આવતા જ તેને જાણવા મળ્યું હતું કે મહેશે બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી હતી તેથી તે સાંજની ફલાઈટમાં પાછી જવાની છે તેવું કહે છે ત્યારે તુષાર અને અનુપમ તેને રોકે છે અને ત્રણેય જણા રડી પડે છે અહીં નાટક પૂર્ણ થાય છે.

Details

Keywords

Chandrakant Thakkar|Natak Budreti|

Related Articles

આવા ખાલીપા પૂરાતા નથી...

hasmukh baradi

View Details
યુવાન રંગકર્મીઓની તાલીમનું વિશિષ્ટ અભિયાન…

શશિકાંત નાણાવટી

View Details
જરૂર છે ઓડેટોરીયમની

વિરલ રાચ્છ

View Details
ગુજરાતી રંગભૂમિ મૌલિક થઈ ગઈ !

ઉત્પલ ભાયાણી

View Details
Theatre in Ahmedabad in 1997

પ્રો.એસ.ડી.દેસાઈ

View Details
A Torrent of Images An Apprroach to Guj…

હસમુખ બારાડી

View Details