આફટર શોકસ (કચ્છ ભુજના ભૂકંપ વિશેનું નાટક) (શેરી નાટક)
Keywords: After Shocks|Sheri Natak|nalin Upadhyay|Natak Budreti|Bhukamp|
આફટર શોકસ (કચ્છ ભુજના ભૂકંપ વિશેનું નાટક) (શેરી નાટક)
Articleનલીન ઉપાધ્યાય • નાટક બુડ્રેટી • 2005
Abstract
આ નાટકની રચના ભૂકંપને અનુલક્ષીને કરવામાં આવી છે કથાવસ્તુમાં જોઈએ તો ભૂકંપની કરુપ સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે. ધણા લોકો તો આળસ જ કર્યા કરે છે. જે સ્થિતિ આવી હોય તેનો નિકાલ કરતા નથી. પ્રમાદ કે જે આળસુ છે તેને નગરજનો સેનાપતિ બનાવે છે. પ્રમાદે બધા લોકોને શીખવ્યું કે ગમે તે પ્રશ્નો આવે આળસ જ કરવી અંગને હલાવવું નહીં, મગજને તસ્દી ન આપવી સરકારે અફસર રાખ્યા છે તે પગાર લે છે તે જ વિચારશે આપણે બસ ઉંઘ્યા જ કરવું. આવી શીખામણ સાંભળીને નગરજનો પણ પ્રમાદની સાથે ઊંધી જાય છે. ત્યાં જ ભૂંકપ રાક્ષસ આવે છે તે માણસ ગંધાય....માણસ ખાઉં એવી બૂમો મારતો હોય છે તેથી લોકો પ્રમાદરાયને જગાડે છે. પ્રમાદરાય ભૂંકપ સાથે શરત મારે છે કે તું મારી ઊંધ ઉડાડે તો તું જીત્યો પછીથી ભૂંકપ મંદિર, મસ્જિદ, બજાર બધુ જ તોડી નાખે છે. ભુજની ખરાબ સ્થિતિ જોઈને બહાર બીજા પ્રદેશના લોકો સહાય આપવા આવે છે. એમાં તેઓને તંબૂ, કંબલ,લોટ,ચોખા, અને ચોકલેટ વગેરે ઘણી જરૂરી ચીજવસ્તુઓની મદદ મળે છે. તેથી નગરજનો તો ખુશ થઈ જાય છે. તેઓ કહે છે કે ભૂંકપ તો આપણો ભેરુ!ખાંડ,કંબલ,તંબૂ,ટાર્યોલીન,ફોરેનની વસ્તુઓ, એસ.ટી.ની બસમાં સેવા મફત, મફત, રસોડે જમવા મળે આ બધુ મળવાથી આપણો પગાર પણ બચી જાય છે. ઘર ભાંગી ગયાને કારણે સરકાર તરફથી આર્થિક મદદ પણ મળે છે.તે માટે દુકાનેથી G-5 પ્રમાણપત્ર મેળવવાનો હોય છે આમ ચાર વાર ભૂંકપ આવે છે