ચંદ્રવદન : એક મિજાજ
Keywords: Chandravadan : Ek Mijaj|Dr. Dhirubhai Thakar|Gujarat College|Rangotsav|Aggadi|Apkatha Gathariya|Shahjaha|Kaka Ni Shashi|Shakuntala|Dhara Gurjari|Waiting for Godo|International Theatre Institute|Gujarati Sahitya|Patro|Shaili|Redio Natak|Prahasano|Chitanatmak|Tregedy|Ekanki|Bahuanki|Gadyatmak|Padyatmak|Sakshari Gramin|Sahitya|Rangbhoomi|
ચંદ્રવદન : એક મિજાજ
Articleડો. ધીરૂભાઈ ઠાકર • નાટક બુડ્રેટી • 2006
Abstract
પ્રસ્તુત લેખમાં ડો. ધીરુભાઈ ઠાકરે ચંદ્રવદન મહેતાનો પરિચય કરાવ્યો છે. ધીરૂભાઈએ ચંદ્રવદનના વક્તવ્ય વિષે નોંધ્યું છે કે : 'વિદ્વત્તા અને વિદ્રોહનું વિશિષ્ટ મિશ્રણ તેમના વક્તવ્યમાં જોવા મળે છે. 'ધીરુભાઈ તેમણે પ્રથમ વખત ૧૯૩૫માં ગુજરાત કોલેજના 'રંગોત્સવમાં', 'આગગાડી' નાટકના દિગ્દર્શન તરીકે મળ્યા. ત્યારથી માંડીને તેમનો વિશેષ પરિચય કેળવાયો ત્યાં સુધીની નોંધ અહીં આપવામાં આવી છે. ત્યારબાદ ચંદ્રવદનની વ્યાવસાયિક કારકિર્દીની નોંધ આપવામાં આવી છે. પ્રવાસના શોખીન હોવાથી યુરોપ - અમેરીકામાં ચાલતી નાટ્ય પ્રવૃત્તિનો એમણે અભ્યાસ કર્યો તથા સંસ્કૃતિ અને લોકજીવનનો ઊંડો અભ્યાસ કરી પ્રથમ પંક્તિના નાટ્યવિદ તરીકે ખ્યાતનામ થયા., જેની નોંધ 'આપકથા ગઠરીયા' માં જોવા મળે છે. શ્રી ચંદ્રવદને નાટકની પસંદગીથી પ્રયોગના મૂલ્યાંકન સુધીના ભજવણીના તમામ પાસાની છણાવટ કરી 'શાહજહાં', 'કાકાની શશી', 'શકુંતલા', 'ધરા ગુર્જરી', 'વેટિંગ ફોર ગોદો' વગેરે જેવા અનેક નાટકો રજૂ કર્યા હતા. તેઓ ઇન્ટરનેશનલ થિએટર ઇન્સ્ટિટ્યુટ (I T I) સાથે જોડાયા હતા અને આંતરરાષ્ટ્રીય નાટ્ય સ્પર્ધાની જ્યુરીના સભ્ય પણ હતા. હાસ્ય અને કરૂણાના આવરણ નીચે જીવનની કરુણા છુપાવી સ્વજનો ઉપર અઢળક પ્રેમ ઢોળતા, સ્વભાવે ટીખળ અને વિદ્રોહી હોઇ પદ્મશ્રીનો ખિતાબ મળ્યો ત્યારે કહે "આપણે પદમશી થયા." એકવાર temane ઈનામ રોકડ ન મળતા સેવિંગ સર્ટિફિકેટ રૂપે તે કહે છે કે, "હૂઁ મારૂ ત્યારે આ વટાવીને લાકડા લાવજો." આમાં તેમની કટાક્ષ કરવાની વૃત્તિ સુપેરે જોવા મળે છે.