તખ્તાના ઈતિહાસની શ્રેષ્ઠ અભિનેત્રી સારાહ બર્નહાર્ટ
Keywords: Sarah Barnheart|Yashwant Mehta|Natak -Budreti|France|Komedia France|Takhta Ni Devi|
તખ્તાના ઈતિહાસની શ્રેષ્ઠ અભિનેત્રી સારાહ બર્નહાર્ટ
Articleયશવંત મહેતા • નાટક – બુડ્રેટી • 2007
Abstract
અત્રે આ લેખમાં તખ્તાના ઈતિહાસની શ્રેષ્ઠ અભિનેત્રી સારાહ બર્નહાર્ટનો પરિચય આપવામાં આવ્યો છે. તેનો જન્મ 1844માં ફ્રાંસમાં થયો હતો. બાલ્યાવસ્થાથી જ તે તબિયતે નબળી, જિદ્ અને વિચિત્ર સ્વભાવની હતી. મા-બાપની મનાઈ છતાં તે નાટકમાં ઊતરી હતી. પ્રથમ તે પેરિસની વિખ્યાત નટમંડળી “કોમેદિઆ ફ્રાંસ” માં કામ કરતી હતી. જિંદગીભર એજ શાળામાં કામ કરવાનો કરાર હતો. પણ તે મુકત મનની હોવાથી દંડ ચૂકવી કરાર ભંગ કર્યો હતો. પેરિસથી લંડન જાય છે. તે લંડનમાં અદ્રિતીય અભિનેત્રી બની ગઈ. ઈંગ્લેન્ડ, અમેરિકાથી માંડી અનેક દેશ –વિદેશમાં અનેક નાટકોમાં મુખ્ય ભૂમિકા ભજવી તખ્તાની ‘દેવી’ તરીકે ઓળખાઈ તેને સતત લાગતું કે તે ઓછું જીવવાની છે. તેથી તેણે મોંઘી કફનપેટી પણ તૈયાર કરાવી હતી. 69માં વર્ષે તેને અકસ્માતમાં પઘ કપાવવો પડયો. પગ સાજો થતાં પાછી નાટકમાં જોડાઈ ગઈ. ઈ.સ. 1923માં તે મૃત્યુ પામી.