નટસમ્રાટ અમૃત કેશવ નાયક
Keywords: Amrut Keshav Nayak|Late Pragaji Dosa| Natak - Budreti|Takhto Bole che|Alfred Natak Mandali|Pragaji Dosa|Amrut Keshav Nayak|Hemlet|Khune Nahak|Romiyo Juliet|Bajme Fani|Shiv Shambhu ka Chittha|Bharat Durdasha|MLA Banake Meri Mitti Kyun Kharab ki ?|Nadir Shah|
નટસમ્રાટ અમૃત કેશવ નાયક
Articleસ્વ. પ્રાગજી ડોસા • નાટક – બુડ્રેટી • 2007
Abstract
આ લેખમાં ‘તખ્તો બોલે છે’, ભા-1માં પ્રાગજી ડોસાએ નટ સમ્રાટ અમૃત કેશવનાં જીવનનો પરિચય આપવામાં આવ્યો છે. તેમનો જન્મ 1877માં થયો હતો. અગિયાર વર્ષની નાની વયથી તેમણે અભિનય જગતમાં પગ મૂકયો હતો. 1891માં તેઓ ‘આલ્ફ્રેંડ નાટક મંડળી’ માં જોડાયા અને તેમાં ભાગલા પડતાં તેઓ નવી આલફ્રેડ કંપનીમાં જોડાઈ દિગ્દર્શકનું કામ સંભાળ્યું હતું. કશુક નવું કરવાની તમન્નાના ફળરૂપે અંગ્રેજી ‘હેમ્લેટ’ નું રૂપાંતર ‘ખુનેનાહક’, અને ‘રોમિયો – જુલિયેટ’નું ઉર્દૂ રૂપાંતર ‘બજમે ફાની’, જેવાં નાટક આપ્યાં હતાં. દેશદાઝને લીધે કલકત્તામાં અંગેજો વિરુધ્ધ લોર્ડ કર્ઝન સામે ‘શિવશંભુકા ચિઠ્ઠા’ કતાર લખતાં હતાં. ‘ભારત દુર્દશા’, તથા ‘એમ.એ. બનાકે મેરી મિટ્ટિ કયું ખરાબ કી’ જેવી નવલકથાઓ આપી હતી. તેમનું અવસાન થતાં ઐતિહાસિક નવલકથા ‘નાદિર શાહ’ અધૂરી રહી હતી. 18-જુલાઈ -1907ના રોજ ચાર વાગ્યાના સુમારે તેમનું નિધન થયું હતું.