ભવાઈ તાલીમ અભ્યાસક્રમ
Keywords: Bhavai Talim Abhyaskram|Hasmukh Baradi|Natak-Budreti|Janak Dave|Hasmukh Baradi|Vadodara University|Sangit-Nrutya|Natya college|Chandravadan|Jashwant Thaker|Gujarat University|Natya Vibhag|Hasmukh Baradi|
ભવાઈ તાલીમ અભ્યાસક્રમ
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2006
Abstract
આ લેખમાં હસમુખ બારાડીએ પ્રા. જનક દવેનો નાટ્યક્ષેત્રે તેમણે કરેલાં પ્રદાન બદલ તેમનો વિશેષ પરિચય આપ્યો છે, જેમાં ગુજરાતમાં નાટયક્ષેત્રે શિક્ષણની પરંપરા જે સૌ પ્રથમ ભારતમાં વડોદરા યુનિવર્સિટી સંગીત - નૃત્ય, નાટય કોલેજમાં શરૂ થઈ હતી. તેના ચંદ્રવદન, જશંવત ઠાકરની પરંપરાના એક મણકા તરીકે તેઓ પ્રા. જનકદવેને ઓળખાવે છે. બરોડાથી તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિ. માં નાટય વિભાગના વડા તરીકે અને તાલીમાર્થીઓને તાલીમ આપવાની એજા બેવડી ભૂમિકા ભજવે છે. તેઓ સરકારી અને બિનસરકારી અંતરાયો વટી જઈને ટકોરાબંધ વિદ્યાર્થીઓ તૈયાર કરે છે. તેની સાથો ભજવણી અને નાટય લેખનનાં કાર્યો સાથે પણ સંકળાયેલાં છે. તેમણે નાટક અને ભવાઈને નવું સ્વરૂપ આપી અનેક સમાજ ઉપયોગી વિષયો પર નાટક લખ્યાં છે. નાટયક્ષેત્રેની વિદ્યાલયમાંથી નિવૃત થયા પછી આખા ગુજરાતને વર્ગખંડમાં ફેરવી નાંખ્યો છે. અને ગામડે ગામડે જઈ યુવાનો અને બાળકો સાથે કામ કરી રહ્યા છે. “આવા વ્યક્તિઓની શક્તિ ગામડે ગામડે રખડવામાં ખર્ચવાને બદલે નિવાસી વિદ્યાપીઠ સ્થાપવી એ સમાજ અને સરકારની જવાબદારી છે.” એવું હસમુખ બારાડીનું મંતવ્ય પણ અહીં જાણવા મળે છે, જે સર્વથી ઉચિત છે.