મૃગજળનું સરોવર કે શું આ ?
Keywords: Natak Natak-Budreti, TMC, Hasmukh Baradi, Murgjalnu Sarovar, Chenpur
મૃગજળનું સરોવર કે શું આ ?
Articleહસમુખ બારાડી • નાટક બુડ્રેટી • 2004
Abstract
નાટક સામયિકના પ્રથમ લેખ 'મૃગજળનું સરોવર કે શું આ ?'માં હસમુખ બારાડીએ નાટક સામયિકના પ્રારંભથી માંડીને અર્થાત્ 'નાટક અંક -26 સુધીના સફળ યાત્રાનાં વાગોળ્યાં છે. નાટક તેમજ સમાજમાં ચાલી રહેલા અવિશ્વાસ,વેરઝેર, ધિક્કાર ને હિંસાને કારણે સમાજ, રાજકીય જીવન,લગ્નજીવન, તેમજ પ્રજાજીવનમાં જે કલુષિતતા પ્રવેશી છે તેનું પણ આલેખન કર્યું છે. આ ઉપરાત નાટક બુડેટ્રીને પડતી આર્થિક તકલીફ તેમજ T.M.C સંસ્થાનો ચેનપુર ખાતે કરવામાં આવેલો પ્રારંભ અંગે વાત કરવામાં આવી છે.'નાટક' સામયિકના દસમા અંકમાં એક ઘાયલ બાળકની શૂન્ય આંખોની તસ્વીર સાથે એમણે : 'એના અંતરની વેદના કોણ સમજશે' એવો પ્રશ્ર મૂકયો હતો. ત્યારથી આરંભાઈ તેની હારમાળા ગયા પચ્ચીસમાં અંકના મૃખપૃષ્ઠમાં આંતરિક જવાળામુખી સુધી વિસ્તરતા માનવ ચહેરાથી એમણે વ્યકત કરી હતી. પ્રસ્તુત લેખનાં અંતે લેખકે વાચકો અને નાટયરસિકોને નવા વર્ષની શુભકામના પાઠવી છે. વિશેષ નોંધ :- અહીં હસમુખ બારાડીનો સ્મિત ચહેરાવાળો ફોટોગ્રાફ જોવા મળે છે.