રંગ પ્રતિભા(મંચ અવલોકન)
Keywords: Rang Pratibha|Pra. Janak Dave|Natak-Budreti|Gujarat Rajya Sangit Natak Academy|Rangmanch|Yuva Digdarshako|Natya Mahotsav|Sardar Patel|natyagruh|Santi Natak Academy|Kiran Bhatnagar|Atam Singh|Sangit Natak Academy|Varma Saheb|Manoj Shukla|Janak Dave|Jyoti Vaidya|Dr. Mahesh Champaklal|Lady Lalkunwar|Nag Mandal|Surat|Varachha|Janak Dave|
રંગ પ્રતિભા(મંચ અવલોકન)
Articleપ્રા. જનક દવે • નાટક - બુડ્રેટી • 2006
Abstract
આ લેખમાં સંગીત નાટક અકાદમી, નવી દિલ્હી અને ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના સંયુકત ઉપક્રમે ગુજરાતના રંગમંચના યુવા દિગ્દર્શકોનો ‘નાટય મહોત્સવ’ જૂન, 2006નાં પ્રથમ સપ્તાહે સરદાર પટેલ સ્મૃતિ ભવન. નાટયગૃહોમાં આઠ નાટકોનું મંચન કરવામાં આવ્યું. જેમાં સંગીત નાટક અકાદમી દિલ્હી વતી ઉપસચિવ શ્રી કિરણ ભટ્ટનાગર, સચીવ શ્રી આતમ સિંધ વગેરે તજજ્ઞો હાજર રહ્યાં હતાં. સંગીત નાટક અકાદમી ગુજરાત રાજય તરફથી શ્રી વર્મા સાહેબ, મનોજ શુકલએ સમગ્ર મહોત્સવનું સંચાલન કર્યું હતું. મહોત્સવ દરમિયાન રજૂ થનાર નાટકો અને પ્રસ્તુતિ કરનારની કક્ષા, સૂઝ, સમજ અને કાર્યદક્ષતા કેટલી છે. તેનું માપન કયાસ કાઢવા અકાદમીએ તજજ્ઞો નીમ્યાં હતાં. જેમાં પ્રા. જનક દવે, પ્રા. જયોતિ વૈદ્ય, ડો. મહેશ ચંપકલાલ વગેરેએ હાજર રહી એમનાં પ્રતિભાવો યુવા દિગ્દર્શકોને માર્ગદર્શનરૂપે બની રહેશે. જે નીચે મુજબ છે. દા.ત. ‘લેડી લાલકુંવર’,જેમાં નટનાં નિષ્પ્રાણ અભિનયને લીધે નિષ્ફળ રહ્યું. ‘નાગ મંડળ’ સમગ્ર નાટકમાં વચમાં રાખેલા સ્તંભે ત્રાસ ગુજાર્યો. નાટકનો બધો ભાર રાનીના પાત્ર પર રહ્યો. વગેરે જેવા પ્રતિભાવો મળે છે. સુરતનાં વરાછા વિસ્તારમાં નાટક કરવું ‘લોઢાના ચણા ચાવવા જેવું કામ છે.’ એ ભીતિને તદ્ ન ખોટી ઠરાવી નાટકને હર્ષભેર માણી દાદ આપવા બદલ પ્રા. જનક દવેએ પ્રેક્ષકોનો આભાર માન્યો છે.