સ્વ. પ્રાગજીભાઈ ડોસા અને બાળરંગભૂમિ
Keywords: Pragjibhai Dosa, Bal rangbhoomi, Madhav Pragji Dosa, Natak Budreti, Pragaji Dosa, children theatre, Dadaji, Bhakt Dhruv, Gamadiyo Mastar, Vanlata Mehta, Bakor Patel, Children theatre
સ્વ. પ્રાગજીભાઈ ડોસા અને બાળરંગભૂમિ
Articleમાધવ પ્રાગજી ડોસા • નાટક બુડ્રેટી • 2004
Abstract
આ લેખમાં સ્વ. પ્રાગજીભાઈ બાળરંગભૂમિ તરફ કેવી રીતે વળ્યા. તેમજ બાળ રંગભૂમિ પ્રત્યે તેમને જે યોગદાન આપ્યું હતું તે અંગેની વાત અહીં રજૂ કરી છે. પ્રાગજીડોસા બાળરંગભૂમિમાં 'દાદાજી' તરીકે ઓળખતા. તેમણે 1924માં બે નાટકો લખ્યાં (1)'ભક્તધ્રુવ' અને (2) 'ગામડિયો માસ્તર' કેટલાક નામી કલાકારોએ એમનાં બાળનાટકોનો અભિનય કર્યો હતો. તદ્ઉપરાંત આ લેખમાં બાળરંગભૂમિ વિશેના વિચારો પણ રજૂ થયાં છે. વનલતા બહેન મહેતા સાથે મળીને તેમને બે પુસ્તકો પ્રગટ કર્યા હતાં. (1) 'ઈતિહાસ બોલે છે' અને (2)'ઈતિહાસ ને પાને' એમને ' બાળનાટ્ય અભ્યાસક્રમ ભાગ -1' પણ પ્રગટ કર્યો હતો. 'ઈતિહાસ બોલે છે' અને 'બાળનાટિકાઓ' ને અકાદમી તરફથી પારિતોષિક મળ્યું હતું. 1967માં I.N.T. એ બાળનાટ્ય શાળા શરુ કરી તેમાં વિવિધ નાટકો જેવાંકે ' ચાલો બટુકજીના દેશમાં' ,'બટુકજીનો ન્યાય','બકોર પટેલ',વગેરે રજૂ થયાં હતાં. આ ઉપરાંત એમણે વિદેશોમાં રંગભૂમિ અને નાટક વિશે પણ વ્યાખ્યાન આપ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવેલ 'છોરું કછોરું' નાટકનો અંગ્રેજી અનુવાદ 'Spoilt Child' નામે અનેક દેશોમાં ભજવાયો હતો. છેલ્લે તેઓ કહે છે કે જીવનના અંત સુધી પ્રાગજીભાઈ બાળરંગભૂમિ ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. વિશેષ નોંધ :- અહીં પ્રાગજીભાઈ નો ફોટોગ્રાફ આપ્યો છે.