Books
Saubhagya Sunadari (સૌભાગ્ય સુંદરી ) - Details
Saubhagya Sunadari (સૌભાગ્ય સુંદરી )
BookVijayshankar KAlidas Vaidya • 1908
Description
દુર્ગેશ નગરીના મહારાજા ચતુરસિંહ દુષ્ટના ભરમાવાથી પોતાની નિર્દોષ રાણી પર શંકા કરીને તેને નાનકડા બાળક સાથે નદીમાં ફેંકી દે છે. ઈશ્વરની કૃપાથી રાણી બચી જાય છે અને સંસારથી વૈરાગ્ય પામી નદીકાંઠે ઝૂંપડીમાં રહી ભક્તિભાવે જીવન પસાર કરે છે. બીજી તરફ બાળકને વૈભવપુરનો નિસંતાન વીર રાજપૂત રણજીતસિંહ નદીમાંથી મેળવે છે અને તેનું નામ સૌભાગ્યસિંહ રાખીને પોતાના પુત્ર સમાન ઉછેરે છે. મૃત્યુ પહેલાં રણજીતસિંહ તેને સાચી હકીકત જણાવે છે અને બાળકને મળેલી વીંટી સાચવી રાખવા કહે છે, કારણ કે તે જ તેની સાચી ઓળખનું એકમાત્ર નિશાન છે. નાટકની શરૂઆતમાં સૌભાગ્યસિંહ એકવીસ વર્ષનો થઈ વૈભવપુરમાં ભુવનેશ્વરી માતાના મહોત્સવે દર્શન કરવા આવે છે, ત્યાંથી કથાનો મુખ્ય પ્રવાહ શરૂ થાય છે.